Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કોરોનાએ કહેર મચાવ્યો...

અમરેલીના કાબરીયા પરિવારના ચાર સગા ભાઇના ૪પ દિ'માં મોત !

(અરવિંદ નિર્મલ દ્વારા) અમરેલી તા. ૩૦: અમરેલીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ કાબરીયા પરીવારના ચાર સગા ભાઇઓના માત્ર ૪પ દિવસમાં જ મૃત્યુ નીપજતા આ કરૂણાંતીકાથી અમરેલી શહેરમાં સન્નાટો છવાયો છે.

અમરેલીના કાબરીયા પરિવારના વડીલ ડાયાભાઇ પોપટભાઇ કાબરીયાનું ૪પ દિવસ પહેલા નિધન થયું હતંુ અને તેમના કારજ પ્રસંગે સ્નેહીજનો, પરિવારજનો એકત્ર થયા હતા ડાયાભાઇને નાના ચાર ભાઇઓ હતા. તેમના કારજ પ્રસંગ પછી આ ચારમાંથી રમેશભાઇ, મનસુખભાઇ અનેસુરતમાં રહેતા નાગજીભાઇ કોરોના સંક્રમિત થયા હતા રમેશભાઇને અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં તેમનું હૃદય બેસી ગયું હતું. અને તેમનું મૃત્યુ થયું હતું બીજી તરફ એ જ અરસામાં તેમના ભાઇ મનસુખભાઇ (એમ.પી.)ને રાજકોટ ખસેડી વેન્ટીલેટર ઉપર રખાયા હતા તે જ અરસામાં સુરત રહેતા નાગજીભાઇને પણ કોરોના પોઝીટીવ થતા સુરતમાં દાખલ કરી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા પાંચેક દિવસ પહેલા જ રાજકોટ સારવાર લઇ રહેલા અને એક મહિનાથી મોત સામે ઝઝુમતા મનસુખભાઇનું મૃત્યુ થયું હતું અને મંગળવારે સુરત ખાતે સારવાર લઇ રહેલા નાગજીભાઇનું પણ મૃત્યુ થતા માત્ર ૪પ દિવસના ટુંકા સમયમાં પરિવારના ચાર સગાભાઇઓ મૃત્યુ પામતા અમરેલીમાં શોકની લાગણી  ફરી વળી છે સજજન અને સેવાભાવી એવા કાબરીયા પરિવાર ઉપર આભ તુટી પડયુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે અને શહેરમાં આ કરૂણાંતીકાને કારણે આઘાત સાથે શોકની લાગણી છવાઇ છે.

(1:21 pm IST)