Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ભાવનગર : રસીકભાઇજીના વ્યાસાસને સપ્તાહ

ભાવનગર : દ્વારકા ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રોતાઓને અમૃતપાન મોટી ખોખરી (જામનગર)ના હાલ મુંબઇ મીરા રોડના ભાગવતાચાર્ય રસીકભાઇ વી.રાજયગુરૂ કરાવી રહ્યા છે. યજમાન મુંબઇના સંગીતાબેન એસ.ટાંક દ્વારા સંતો મહંતોની હાજરીમાં ઘોષણા કરવામાં આવી હતી કે આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં ભારતમાં પુ.રસિકાચાર્યજી મહારાજની નિઃશુલ્ક કથાશ્રવણ કરાવશે. આચાર્ય રાકેશાચાર્ય રાજયગુરૂએ ભકતજનોએ આપેલ સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યકત કરી હતી. ભાગવત સપ્તાહ યોજાઇ તે તસ્વીર. (તસ્વીર : મનીષ પી.દવે, ભાવનગર)

(11:40 am IST)