Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જસદણ પંથકમાં મફત પ્લોટ અપાયા

જસદણઃ વિંછીયા વિસ્તારમાં રહેતા વિચરતીઅવિમુકતી જાતીના સીતેર જેટલા પરીવારોને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પ્રયાસોથી પ્રથમ વખત આવા પરીવારોને રાજય સરકાર દ્વારા મકાન બનાવવા મફત પ્લોટ ફાળવવામાં આવતા હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. આગામી દિવસોમાં હજુ આ વિસ્તારમાં રહેતા તમામ પરીવારોને મકાન બનાવવા જગ્યા અને સહાય પુરી પાડવામાં આવશે. જસદણ સેવા સદન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુંવરજીભાઇ બાવળીયા, નગર પાલીકાના ઉપપ્રમુખ દિપુભાઇ ગીડા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણી, દુર્ગેશભાઇ કુબાવત, જસદણ પ્રાંત અધિકારી ગલચર, જસદણ મામલતદાર સહીતના લાભાર્થી ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(11:38 am IST)