Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

વિરનગરમાં ખાતમુહુર્ત લોકાર્પણ

આટકોટ :  વીરનગર મા શ્યામા પ્રસાદ મુખજી રૂર્બન મિશર્નં યોજનાનુ ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમ દૂધ સહકારી મંડળીના ગ્રાઉન્ડ માં રાખેલ હતો.જેમાં રાજય કક્ષા ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, સરદાર પટેલ જળસંચયના ચેરમેનશ્રી ભરતભાઈ બોઘરા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, સહકારી દૂધ મંડળી ના પ્રમુખ અરજણભાઈ રામાણી, જુથ સેવા સહકારી મંડળી ના પ્રમુખ ભગુભાઈ બસિયા, વીરનગરના સરપંચશ્રી દક્ષાબેન પરેશભાઈ રાદડિયા, જીલ્લા ગ્રામ વિકાસ અધિકારી ડે. ગોહિલ, નાયબ કલેકટરશ્રી, જસદણ મામલતદાર સાહેબ. તેમજ તાલુકા તેમજ જિલ્લાના દરેક વિવિધ વિભાગ ના અધિકારી તેમજ તાલુકા આગેવાનો તેમજ આજુબાજુ ના પદ અધિકારી તેમજ વીરનગર ગામના આગેવાનો તેમજ ગામના નાગરિક જનો હાજર રહેલ તેમ વીરનગરના સરપંચે જણાવ્યુ હતુ. (તસ્વીર : કરશન બામટા, આટકોટ)

(11:37 am IST)