Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મોરબીના ભુગર્ભ ગટર રોડ પ્રશ્ને રજૂઆત

મોરબી : અવની ચોકડી, અવની રોડ પર લોકદરબારમાં વિસ્તારના રહેવાસી બળદેવભાઈ સરસાવાડિયાએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે કેનાલ રોડ પરની સોસાયટીઓમાં ૨ વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા જોવા મળે છે નિકાલ માટે વ્યવસ્થા બંધ થઇ છે જેથી સોસાયટીના પાણી, તળાવ ઓવરફલો કે વોકળાનું પાણી સોસાયટીમાં આવે છે ઉપરાંત ગટરના પ્રશ્ન અને કેનાલ પર નાળું આવેલ હોય જેની પહોળાઈ વધારવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નં ૧૦ માં આયોજિત લોકદરબારમાં રજુ થયેલ વરસાદી પાણીના પ્રશ્ન, ભૂગર્ભ ગટર બ્લોક થવા અને રોડ બનાવવાના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને ચીફ ઓફિસર ગીરીશ સરિયાએ પ્રશ્નો અંગે ઝડપી કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતીલોકદરબારમાં રજૂઆત કરાઇ તે તસ્વીર.

(11:36 am IST)