Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જસદણમાં કેબીનેટ મંત્રીશ્રી બાવળીયાનું સન્માન

જસદણ : જૂના માર્કેટયાર્ડની સામે કાંઠાવાળી મેલડી માતાના મંદિરે ભકતો માટે પાકો રસ્તો ન હોવાને કારણે ભાવિકોને ભારે તકલીફો પડતી પણ ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાસે રજૂઆત થતા તેમણે સિમેન્ટ રોડ બનાવી આપતા મંદિરના સેવકોએ એમનું સન્માન કરેલ હતુ. લાખો લોકોના આસ્થાના કેન્દ્ર કાંઠાવાળી મેલડીના મંદિરે જવાનો રસ્તો થતા ભાવિકોને હવે મોટી રાહત થશે. જેને લઇ સેવકોએ માતાજીનો પ્રસાદ કાર્યક્રમ યોજેલ જેમાં હજારો સર્વે જ્ઞાતિજનોએે પ્રસાદ લીધો હતો. ત્યારબાદ સેવકોએ કુંવરજીભાઇનું સન્માન કરેલ હતુ. આ કાર્યક્રમના મુખ્યદાતા જસદણના ન.પા.ના પુર્વ પ્રમુખો જે.પી.રાઠોડ, મુન્નાભાઇ સોજીત્રા, રમાબેન મકવાણા અને સામાજિક યુવા કાર્યકર સંજયભાઇ રાજપરા રહેલ હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે હમીરબાપા ભુવા, હરેશભાઇ મકવાણા, અમરશીભાઇ રાઠોડ, વિનુભાઇ ઝાપડીયા, રણછોડભાઇ સાકરીયા, દિપુભાઇ વાઘેલા, પંકજભાઇ ચાવ, વાસુદેવભાઇ રાવલ સહિતના સેવકોએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી)

(11:35 am IST)