Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

વઢવાણના ધારાસભ્ય દ્વારા મુસ્લિમ સમાજને જનાજા માટે 'આખરી સફર' વાહન અર્પણ કરાયું

વઢવાણ તા.૩૦ : સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે વઢવાણ ધારાસભ્ય દ્વારા મુસ્લિમ સમાજના લોકોને અને ખાસ પીરે તરીકત યુસુફ મીયા બાપુની આગેવાનીમાં ગઈકાલે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ દ્વારા મુસ્લિમ સમાજને એક અનોખી ભેટ આપવામાં આપ આવી હતી ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ના મુસ્લિમોને મય ત થયા બાદ આશરે જનાજાને પાંચ કિલોમીટરથી વધારે અંતરે ચાલીને કબ્રસ્તાન સુધી લઈ જવામાં ભારે મુશ્કેલી નો મુસ્લિમ સમાજ દ્વારા સામનો કરવો પડતો હતો ત્યારે આ બાબતે યુસુફ મીયા બાપુ અને તમામ સમાજના આગેવાનો દ્વારા વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલને એક મુસ્લિમ સમાજને જનાજા યાત્રા માટે વાહન આપવા માટે અપીલ કરવામાં આવી હતી.

વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને બ યુસુફ મીયા બાપુ ની હાજરીમાં ગઈકાલે મુસ્લિમ સમાજને આખરે સફર નામના વાહનનું અર્પણ કરતા મુસ્લિમ સમાજમાં એક હરખ ની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે ખાસ મુસ્લિમ સમાજના આગેવાનો અને પીરે તરીકત યુસુફ મીયા બાપુ બાપુએ ધનજીભાઈ પટેલ નો આભાર વ્યકત કર્યો હતો ત્યારે ધનજીભાઈ પટેલ ખાતરી આપી હતી કે આ વાહનનો ડીઝલ ખર્ચ અને ડ્રાઈવર નો ખર્ચ પણ તે પોતે ભોગવશે અને ખાસ અડધી રાતે પણ જનાજા યાત્રા માટે આ વાહનો ઉપયોગ કોઈપણ મુસલમાન સમાજ કરી શકશે  મુસ્લિમ સમાજ દ્વારા અને આગેવાનો દ્વારા ધારાસભ્ય ધનજીભાઈ પટેલ નો આભાર માનેલ હતો.

(11:46 am IST)