Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ દ્વારા અચુક મતદાન કરવાની અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૩૦ : સમસ્ત ખારવાર સમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં લોકોને અચૂક મતદાન કરવાની અપીલ કરી છે.

ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઇએ જણાવેલ કે મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા હોય છે જાગૃત મતદાતા, લોકશાહીની સૌથી મોટી શકિત સામાન્ય જનતા છે. મતદાતા જ દેશનું ભવિષ્ય નક્કી કરે છે. મતદાતા જ્યારે જાગૃત બનશે તો જ પોતાના વોટ નો સારી રીતે ઉપયોગ કરી શકશે. આજની યુવાપેઢી કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. તેઓએ જરૃરથી મતદાન કરી દેશના વિકાસમા સહભાગી બનવું જોઇએ. પોતાની ફરજના ભાગરૃપે દરેક નાગરીકો પોતાનો વોટ અવશ્ય આપવો જોઇએ.

(1:39 pm IST)