Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

જસદણ પંથકમાં અપમૃત્યુના બે બનાવ

આંધિયા ગામે રવિ સુરેલાનો ફાંસો ખાઇ અને વિરનગરમાં ક્રિષ્નાબેન કાપડીયાનો ઝેરી દવા પી આપઘાત

જસદણ, તા., ૩૦: જસદણ પંથકમાં અપમૃત્યુના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં આંધિયા ગામે યુવાને અને વિરનગર ગામે યુવતીએ આપઘાત કર્યો હતો. મળતી વિગતો મુજબ જસદણના આંધીયા ગામે રહેતો રવી જેન્તીભાઇ સુરેલા નામના યુવાને ગળાફાંસો અને વિરનગર ગામે રહેતી ક્રિષ્નાબેન હરીભાઇ કાપડીયા નામની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. (૪.૧)

(11:59 am IST)