Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

રાજુલાના મજાદર ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું કરૂણમોત

અમરેલી : રાજુલાના મજાદર ગામે 21 વર્ષના યુવાનનો પગ લપસતા તળાવમાં ડુબી જતા કરૂણમોત નીપજ્યું છે

 ગ્રામજનોને આ અંગે જાણ થતા યુવાનની શોધખોળ હાથ ધરી છે. ગ્રામજનો દ્વારા યુવાનને તળાવની બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે તંત્રને જાણ કરવા છતા કોઇ અધિકારી કે કર્મચારી ફરક્યું નહોતું. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જ રેસક્યું ઓપરેશન હાથ ધરી યુવકની લાશને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. તળાવમાંથી બહાર કાઢ્યા બાદ તેને પીએમ માટે હોસ્પિટલે ખસોડાયો હતો તંત્રની કોઇ વ્યક્તિ નહી ફરકતા રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા આ ગામ સાથે પહેલાથી જ આ પ્રકારનું ઓરમાયુ વર્તન થાય છે.

(10:51 am IST)