Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જૂનાગઢ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા પ્રદિપસિંહ જાડેજાનો વિદાય સમારંભ

જૂનાગઢ : રાષ્‍ટ્રપતિ એવોર્ડ થી સન્‍માનિત થયેલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે જેમણે કોરોના કાળ દરમિયાન તેમજ ગ્રીન કોરિડરની ઝડપી સર્વિસ માટેની વ્‍યવસ્‍થા તેમજ નાના મોટા કોઈપણને કોઈ આ સામાજિક તત્‍વ દ્વારા થતી પરેશાની હોય કે પછી શિવરાત્રીનો મેળો અને પરિક્રમા દરમિયાન લોકોની સુખાકારી માટે સુદ્રઢ આયોજન કરનાર તેમજ લોકોની સુરક્ષા અને સલામતી માટે હંમેશા  સતેજ જ  રહી નિષ્ઠા અને નીડરતાથી સેવા ફરજ બજાવનાર  પ્રદીપસિંહ જાડેજાની અમદાવાદ ખાતે બદલે થતાં શ્રી  ક્ષત્રિય કડિયા જ્ઞાતિના તેજસ્‍વી તારલાના સન્‍માન સાથે પૂર્વ મેયર કડિયા જ્ઞાતિના પ્રમુખ ધીરુભાઈ ગોહિલ તેમજ જ્ઞાતિ અગ્રણી  કિશોરભાઈ ચોટલીયા, દિનેશભાઈ કાચા, જે કે ચાવડા, જે કે ચાવડા, પી ડી કાચા, વજુભાઈ કાચા, કાળુભાઈ ચોટલીયા, રસિકભાઈ મોરવાડિયા, હરિભાઈ મોરવાડિયા વગેરે દ્વારા સાલ અને  પુષ્‍પગુચ્‍છ  આપી  સન્‍માનીત કરી વિદાય આપવામાં આવેલ. આ પ્રસંગે પ્રમુખ  ધીરુભાઈ ગોહેલ  દ્વારા જાડેજાની કાર્યપદ્ધતિ અને સંવેદનશીલતા વિશે જણાવાયેલ તથા  સારી તંદુરસ્‍તી માટે શુભેચ્‍છા વ્‍યક્‍ત કરેલ.તથા કિશોરભાઈ ચોટલીયાએ પણ શુભેચ્‍છા પાઠવેલ. પ્રદિપસિંહ જાડેજાએ સૌનો આભાર માનેલ. તેમ પ્રમુખ ધીરુભાઈ ગોહેલ શ્રી ગુર્જર  ક્ષત્રિય કડિયા જ્ઞાતિની યાદીમાં જણાવાયેલ છે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(12:11 pm IST)