Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભૂજના હમીરસર તળાવમાં દંપતિનો આપઘાત

સિંધી વેપારીએ પત્નિ સાથે આર્થિક ભીંસ કે કૌટુંબિક ઝઘડામાં જીવ દેતા અરેરાટી

ભુજ, તા. ૩૦: ભુજના હમીરસર તળાવમાં આજે સવારે બે વ્યકિતઓની લાશ જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ દ્યટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ હમીરસર તળાવે પહોંચી ગઈ હતી. દરમ્યાન તરવૈયાઓની મદદ લઈને પોલીસે બન્ને લાશોને બહાર કાઢી હતી. આ લાશ ભુજના વ્યાપારી પતિ પત્ની ની હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લાશ ૫૦ વર્ષીય શ્યામભાઈ પરમાનન્દ ખત્રી અને તેમના ૪૫ વર્ષીય પત્ની કલ્પનાબેન શ્યામભાઈ ખત્રીની છે. આ સિંધી વ્યાપારી પરિવાર ભુજના ભગતવાડી, શિવનગર વિસ્તારમાં રહે છે. તેમની દુકાન ભુજના જુના એસટી સ્ટેન્ડ પાસે આવેલી છે. આપદ્યાતનું કારણ આર્થિક ભીંસ છે કે પછી કૌટુંબિક ઝદ્યડો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)