Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લાઠીના અકાળા ખાતે ટિફિન બેઠકમાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા

અમરેલી,તા.:  તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયેલ નવનિર્મિત નારણ સરોવર પાસે સ્થિત હેતની હવેલી ખાતે ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા અને સાંસદ નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના હોદ્દેદારોની ટિફિન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વમંત્રી  વી. વી. વઘાસીયા, ભાજપ પ્રમુખ  હિરેન હિરપરા, ભાજપ મહામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ કાનાણી, સવજીભાઈ ધોળકિયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા સહિતના તમામ મંડળના હોદ્દેદારો તેમજ આગેવાનો અને સક્રિય સભ્યો ટિફિન લઈને બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં સંગઠનને વધુ મજબુત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.તે પ્રસંગની તસ્વીર.

(12:21 pm IST)