Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સાંજ સુધીમાં બોરતળાવ ઓવરફલો થવાની શકયતા

ભાવનગર તા. ૩૦: ભાવનગર શહેરને પીવાનું પાણી પુરૃં પાડતું બોરતળાવ પ વર્ષ પછી ફરી એક વખત ઓવરફલોની સપાટીએ પહોંચતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં આ નવા નીરના વધામણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જીતુભાઇએ જણાવેલ કે આગામી દિવસોમાં ભાવનગરમાં સપ્તાહે જે એક દિવસનો પાણી કાપ છે તે વહેલી તકે ઉઠાવી લેશું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજયકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહર મોરી, ભાજપ શહેર પ્રમુખ સનતભાઇ મોદી, ડેપ્યુટી મેયર અશોક બારૈયા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં નવા આવેલા નીરનું મહાનુભાવો એ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. બોરતળાવ ગઇ સાંજે ૪ર.૮ ઇંચની સપાટીએ પહોંચીયું હતું. આ તળાવ ૪૩ ફુટ ઓવરફલો થાય છે હજુ પણ બોરતળાવના સ્ત્રાવ વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ આવવાનો શરૂ હોઇ સાંજ સુધીમાં બોરતળાવ ઓવરફલો થશે તેમ મનાઇ રહ્યું છે. (૭.૧પ)

(12:14 pm IST)