Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું : ગરબાના મોટા સ્પીકર ભારે પવનને કારણે ધરાસાયી : પડદા ઉડ્યા

પોરબંદર : વરસાદને કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજન ખોરવાઈ ગયા છે. પોરબંદરમાં ચોપાટી પર ગરબા આયોજનમાં લગાવેલા મોટા મોટા સ્પીકર ભારે પરવનને કારણે ધરાશાયી થઈ ગયા.

  ચોપાટી ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું. ખુલ્લા મેદાનને ફરતે બાંધેલા પડદા પણ ઉડી ગયા. અને ખૂરશીઓ પાણીમાં તણાઈ ગઈ. તો ગ્રાઉન્ડમાં પણ વરસાદના પાણી ભરાઈ ગયા. ત્યારે તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી આયોજકોએ ગરબાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.  

(11:55 am IST)