Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મેતા ખંભાળીયામાં વૃક્ષારોપણ

ગોંડલ : મેતાખંભાળીયામાં સરપંચશ્રી વસંતભાઇ ગોધાણીના નેતૃત્વ પ્રકૃતિપ્રેમી યુવાનોની ટીમે આ સંખ્યામાં વૃક્ષારોપણ કરી વૃક્ષ મંદિરનું નિર્માણ કરેલ છે. બહોળી સંખ્યામાં થયેલ વૃક્ષારોપણ દરેકને ખૂબજ પ્રેરણારૂપ બની રહેલ છે. પ્રકૃતિપ્રેમી ટીમના અગ્રણી રજનીભાઇ સખિયા, જગદીશભાઇ જોટાણીયા તથા ગ્રામજનોએ સાથે જોડાઇને જહેમત ઉઠાવી આવા પ્રકૃતિ ઉપવનનું નિર્માણ કરતા ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે. આ સત્કાર્યમાં પ્રકૃતિ ઉદ્યાન ફાઉન્ડેશનના પ્રતિનિધિ એભલભાઇ લાવડીયાએ સાથે રહી માર્ગદર્શન આપ્યું હતું.  ફાઉન્ડેશન દ્વારા વાયર ફેન્સીંગ તથા ડ્રીપ માટે આર્થિક સહયોગ અપાયો હતો. યુએસએ સ્થિત ફાઉન્ડેશનના મોભી મનસુખભાઇ રાદડીયાએ પ્રતિનિધિ ઉદયભાઇ દેવાસ તથા ભરતભાઇ વેગડે ઉત્સાહભેર આવા પાર્કનું નિર્માણ કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(9:48 am IST)