-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 30th August 2018
શાપર પાસે બે બાઇક અથડાતાં બાવાજી દંપતિ અને બે પરપ્રાંતિય યુવાનને ઇજા
નરેન્દ્રગીરી, રેખાબેન, શિવપ્રસાદ અને દેવાનંદને રાજકોટ ખસેડાયા
રાજકોટ તા. ૩૦: શાપર વેરાવળ પાસે પિતૃકૃપા હોટેલ નજીક બે બાઇક સામ-સામે અથડાતાં શાપરના બાવાજી દંપતિ અને ગોંડલના બે પરપ્રાંતિય યુવાનો યુવાનોને ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ શાપર રહેતાં અને ફેકટરીમાં નોકરી કરતાં નરેન્દ્રગીરી ભગવાનગીરી ગોસ્વામી (ઉ.૪૦) અને તેના પત્નિ રેખાબેન નરેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.૩૯) બાઇકમાં શાપરના પાટીયે કામ સબબ બાઇક પર ગયા હતાં. ત્યાંથી ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે પિતૃકૃપા હોટેલ પાસે સામેથી બાઇક અથડાતાં પતિ-પત્નિ બંને ફેંકાઇ જતાં ઇજા થઇ હતી. સામેના બાઇકના ચાલક હાલ ગોંડલ રહેતાં મુળ છત્તીસગઢના શિવપ્રસાદ રાજેન્દ્રપ્રસાદ (ઉ.૩૪) તથા પાછળ બેઠેલા દેવાનંદ શત્રુઘ્નભાઇ પીપરા (ઉ.૨૩)ને પણ ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
(4:00 pm IST)