Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

શાપર પાસે બે બાઇક અથડાતાં બાવાજી દંપતિ અને બે પરપ્રાંતિય યુવાનને ઇજા

નરેન્દ્રગીરી, રેખાબેન, શિવપ્રસાદ અને દેવાનંદને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩૦: શાપર વેરાવળ પાસે પિતૃકૃપા હોટેલ નજીક બે બાઇક સામ-સામે અથડાતાં શાપરના બાવાજી દંપતિ અને ગોંડલના બે પરપ્રાંતિય યુવાનો  યુવાનોને ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ શાપર રહેતાં અને ફેકટરીમાં નોકરી કરતાં નરેન્દ્રગીરી ભગવાનગીરી ગોસ્વામી (ઉ.૪૦) અને તેના પત્નિ રેખાબેન નરેન્દ્રગીરી ગોસ્વામી  (ઉ.૩૯) બાઇકમાં શાપરના પાટીયે કામ સબબ બાઇક પર ગયા હતાં. ત્યાંથી ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે પિતૃકૃપા હોટેલ પાસે સામેથી બાઇક અથડાતાં પતિ-પત્નિ બંને ફેંકાઇ જતાં ઇજા થઇ હતી. સામેના બાઇકના ચાલક હાલ ગોંડલ રહેતાં મુળ છત્તીસગઢના શિવપ્રસાદ રાજેન્દ્રપ્રસાદ (ઉ.૩૪) તથા પાછળ બેઠેલા દેવાનંદ શત્રુઘ્નભાઇ પીપરા (ઉ.૨૩)ને પણ ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(4:00 pm IST)