Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જન્માષ્ટમીએ અખિલેશ યાદવ દ્વારિકામાં આહીર સમાજના જન્માષ્ટમી મહોત્સવમાં જોડાશે

રાજકોટ તા.૩૦: આહીર એકતા મંચ દ્વારા યોજાનાર બાઇક રેલી તા. ૩ના દ્વારિકા પહોંચશે. આહીર સમાજ દ્વારા દ્વારિકામાં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન થયું છે, જેમાં બાઇક રેલી પણ જોડાશે. આહીર મંચના અર્જુન આંબલિયાએ જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં સમાજવાદી નેતા-ઉત્તર પ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહેવાના છે. જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત સભા-રાસોત્સવ-શોભાયાત્રા વગેરે અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમગ્ર આયોજન કાન્હા વિચાર મંચે કર્યું છે.

(3:59 pm IST)