Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વાંકાનેર પંથકની સગીરાને ગારીડાના બે શખ્સો ભગાડી ગયા

વાંકાનેર તા. ૩૦ :.. વાંકાનેર પંથકની સગીરાને નવ દિવસ પહેલા ગારીડાના બે શખ્સો  લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે ભગાડી જતા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

વાંકાનેર પંથકની સગીરા માતા-પિતા સાથે રૂમમાં સુતેલી સવારે જોવા નહી મળતા સગીરાના પીતા અને પરિવારે આસપાસમાં તપાસ કરી તેની શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ ગઇકાલ સુધી નહી મળતા સગીરા ના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ગારીડાના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદને પગલે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. (પ-૧૭)

(11:55 am IST)