Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ટંકારાના મંદિરમાં શિવલીંગ ઉપરથી તસ્કરો નાગ-ચાંદીનું છત્તર ચોરી ગયા

નિલકંઠ મહાદેવના મંદિરમાં ધોળા દિ'એ ચોરીઃ ભાવિકોમાં રોષ

ટંકારા તા. ૩૦ : ટંકારામાં પવિત્ર શ્રાવણ માસમાં જ નિલકંઠ મહાદેવના મંદિરેથી શિવલીંગ ઉપર રખાયેલ નાગ તથા ચાંદીનું છત્તર ધોળે દિવસે તસ્કરો ચોરી કરી જતા ભાવિકોમાં રોષ ફેલાયો છે.

આ ઉપરાંત ટંકારામાં આવેલી બીજી ધાર્મિક જગ્યાએથી તસ્કરો દાન પેટી ઉઠાવી ગયેલ છે.

નિલકંઠ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ લાગે છે. બપોરના સમયે દર્શનાર્થીઓ ઓછા હોય ત્યારે આ બનાવ બનેલ છે ભકતજનોની લાગણી દુભાયેલ છે.(૬.૯)

(11:54 am IST)