Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જુનાગઢમાં ગાય અને ઘણખુંટના ભેદી મોતથી લોકોમાં અરેરાટી

પીએમ બાદ જ મોતનું કારણ જાણી શકાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : જુનાગઢ ગાય અને ઘણખુંટના ભેદી મોતથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં બે ગૌવંશના મોત થયાની જાણ થતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પી.એસ.આઇ. એ.કે.પરમાર સ્ટાફ સાથે દોડી ગયા હતા.

સ્થળ પર તપાસમાં એક ગાય અને ઘણખુંટનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ બંનેના મોતનું ચોકકસ કારણ જાણી શકાયુ ન હતુ.

જો કે ગાય અને ઘણખુંટનું મૃત્યુ ઝેરી પદાર્થ ખાવાથી અથવા વીજ કરંટ લાગવાથી થયુ હોવાનું અનુમાન છે. જો કે મોતનું સાચુ કારણ તો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

(1:09 pm IST)