Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ખંભાળિયા નજીક એસટી બસની ઠોકરે યુવકનું મોત

નંદાણા નજીક ટોરસે બાઇકને અડફેટે લેતા પીડારાના માલદેભાઇનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૦ : ખંભાળિયા મજામનગર હાઇવે પર અશોક શો રૂમ પાસે એસટી બસની ઠોકરે યુવકનું કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ ખંભાળિયા જામનગર હાઇવે પર આવેલા અશોક શો રૂમ પાસે ગઇકાલે જીજે૧૮-૩૬૬૧ નંબરની એસટી. બસના ચાલકે પગપાળા જઇ રહેલા મુળ અતાડેલી જાંબુઆના અમરસીંગ રાજસીંગભાઇ મેળા (ઉ.વ.૩૦) નામના પરપ્રાંતિય યુવકે ઠોકરે લેતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. બનાવના પગલે ખંભાળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં કલ્યાણપુરના પીડારા ગામે રહેતા માલદેભાઇ મેરામણભાઇ લગારીયા ગત રોજ પોતાની બાઇક લઇને જઇ રહયા હતા. ત્યારે નંદાણા નજીક પુરપાટ ઝડપે આવી રહેલા જીજે૧૦એકસ ૬૪૧૭ નંબરના ટોરસના ચાલકે બાઇકને હડફેટે  લેતાં માલદેભાઇ ફંગોળાઇ પડતાં તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજયુ હતુ. બનાવ અંગે તેમના ભાઇ મારખીભાઇ મેરામણભાઇની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(1:02 pm IST)