Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જેતપુરમાં વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથીએ મહારકતદાન કેમ્પઃ શ્રધ્ધાસુમન અર્પણ

જેતપુર,તા.૩૦: સૌરાષ્ટ્રના સાવજ-ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા (સાંસદ) પ્રથમ પુણ્યતિથીએ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવા જેતપુર માર્કેટીંય યાર્ડ ખાતે શહેરની વ્યાપારી સામાજીક સેવાકીય, સહકારી મળી કુલ ૨૨ જેટલી સંસ્થાઓ દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સવારથી જ રકતદાતાઓની લાંબી કતાર લાગી ગયેલ. રકતદાનની સાથે માં અમૃતમ કાર્ડ આયુર્વેદીક ઉકાળો. માસ્ક વિતરણ કરવામાં આવેલ.

ધનવંતરી રથ દ્વારા તાવ,ઉઘરસ,શરદીની પ્રાથમીક તપાસણી કરવામાં આવેલ. આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુક કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જશુમતિબેન કોરાટ, ગોવિંદભાઇ રાણપરીયા, ગોરધનભાઇ ધામેલીયા, દિનેશભાઇ ભુવા, શુરેલભાઇ સખરેલીયા, સહીતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવેલ. કેમ્પમાં ૨૦૦ રકતદાતાઓએ રકતદાન કરી વિઠ્ઠલભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ ગઢીયાએ કરેલ. કેમ્પને સફળ બનાવવા દરેક સંસ્થાના હોદેદારો તેમજ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી.

(12:53 pm IST)