Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ચોટીલા દર્શને આવેલા અમદાવાદ-મુંબઇના ર યાત્રીકોનાં હ્ય્દયરોગના હુમલાથી મોત

વઢવાણ, તા., ૩૦: ચોટીલા દર્શને આવેલા અમદાવાદ-મુંબઇના ર યાત્રીકોના હ્ય્દયરોગના હુમલાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મંુબઇમાં લોકમાન્ય ખેતીવાડીમાં રહેતા યાત્રીક પરીવારના અજયભાઇ ખોડીદાસ મેઘવાલ તેમના પરીવાર સાથે ચોટીલા ખાતે આવેલા માં ચામુંડા માંના દર્શન માટે આવ્યા હતા અને પુનમ હોવાના કારણે દર્શનનું વધારે મહિમા હોય છે. મુંબઇનો પરીવાર ખાનગી રેસ્ટાહાઉસમાં રહેવા માટે ઉતર્યો હતો. ત્યારે સાથે રહેલા વિનોદભાઇને એકાએક ગભરામણ છાતીમાં દુઃખાવો ઉપડતા ચોટીલા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જયાં એમનું સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું.

જયારે બીજી ઘટનામાં અમદાવાદના જીતુભાઇ મોહનભાઇ વિરોલીયા અને તેમના પત્ની શારદાબેન સાથે અને તેમના મિત્રઇશ્વરભાઇ સોમાભાઇ મોદી તેઓની રિક્ષામાં અમદાવાદથી ચોટીલા ખાતે દર્શન માટે આવ્યા હતા. ત્યારે દર્શન કર્યા બાદ પ્રસાદ લેવા માટે ભોજનાલયમાં લાઇનમાં ઉભા હતા. આવા સમયે ઇશ્વરભાઇને હાર્ટ એટેક આવતા દવાખાને લઇ જવાયા જયાં હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. (૪.૫)

(12:06 pm IST)