Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

શ્રી સોમનાથ મહાદેવ સહિતના મંદિરોને પાથરણા પાથરીને વેપાર કરતા વેપારીઓ દ્વારા ધ્વજારોહણ

પ્રભાસ પાટણ તા.૩૦: સોમનાથ મંદિરનાં સામેનાં ભાગમાં ફુટપાથ ઉપર પાથરણા પાથરીને નાનો-મોટો ધંધો કરતા પાથરણા પરીવારો દ્વારા સોમનાથ મહાદેવ સહિતે અન્ય મંદિરોમાં ધ્વજારોહાણ કરવામાં આવેલ.

સવારનાં વેણેશ્વરથી બેન્ડવાજાની રમઝટ સાથે રામદેવપીર મંદિર, દૂધીયાબાપા, તપેશ્વર મહાદેવ, સરસ્વતીમાતાજી મંદિરે, વેગડાજી ભીલ મંદિરે, હમીરસિંહજીની પ્રતિમાને, દ્વારકાધિશના મંદિરે, કિલ્લાવાળા હનુમાન મંદિરે અને વાઘેશ્વરી જોગેશ્વરી સહિતના ઉટ ઉપર આવતા તમામ મંદિરોએ ધ્વજારોહણ કરી અને છેલ્લે સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવવામાં આવેલ. આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પાથરણાવાળા પરીવાર સાથે ધ્વજારોહણ કરી હતી.

(11:50 am IST)