Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સોમનાથ શોપીંગ સેન્ટરમાં ગટર ઉભરાતા દુકાનદારો ત્રાહીમામ

પ્રભાસ પાટણ તા.૩૦: સોમનાથ મંદિરની સામે સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ૧૧૦ દુકાનોનું સોમનાથ શોપીંગ સેન્ટર આવેલ છે. આ  શોપીંગ સેન્ટરમાં તા.ર૯-૬-૧૮નાં સવારનાં વરસાદ વગર ગટરમાં ગંદુ પાણી ઉભરાતા અને આ દુર્ગધ મારવા સાથે કચરો અને પ્લાસ્ટીકના શીશા-ડબલા સાથે કાદવ-કીચડવાળુ પાણી શોપીંગ સેન્ટરમાં આવતા રસ્તે અને શોપીંગના અંદરનાં ભાગમાં નદીની જેમ છલકાતા અને તેની પ્રસરેલી દુર્ગધથી વેપારીઓમાં હાહાકાર અને યાત્રીકો પરેશાન થયા હતા. સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણમાં ગટર ઉભરાવાનાં બનાવો વારંમવાર જોવા મળે છે.

અત્યારે વગર વરસાદે શોપીંગમાં પાણી ભરાયેલા છે તો વરસાદ થશે ત્યારે શું થશે તેવી વેપારીઓમાં ચિંતા જોવા મળેલ. આ ગટરના પાણીનો કાયમી ધોરણે યોગ્ય ઇલાજ થાય તેવું આ શોપીંગનાં વેપારીઓની માંગણી છે.

(11:49 am IST)