Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પોરબંદરમાં સોમનાથ મંદિરના મહંત દ્વારા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

મંદિરની ગૌશાળામાં ગાયોના નિભાવ માટે ઘાસચારાની ઉધાર લીધેલી રકમ ચુકવવાની ચિંતામાં ઝેર પીધાનું મહંતે જણાવ્યું

પોરબંદર, તા. ૩૦ :  અસ્માવતી ઘાટ પાસે સોમનાથ મંદિરના મહંત ક્રિષ્નાપુરી દાસ (ઉ.૭૦) એ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયેલ છે.

સરકારી હોસ્પિટલમાં સારવારમાં રહેલ મહંત ક્રિષ્નાપુરીદાસે જણાવેલ કે લોકડાઉનના ર માસના સમય દરમિયાન મંદિરની ગૌશાળાની ગાયોનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો હતો અને ફંડ ફાળો આવતો ન હોય કેટલીક રકમ ઘાસચારા માટે લીધી હતી જે કઇ રીતે ચુકવવી તેની ચિંતા રહ્યા કરતી હોય તેથી ઝેરી દવા પી લીધી હતી.

(2:34 pm IST)