Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કલ્યાણપુરના દેવળીયામાં કૂવામાં ઉતરેલા યુવાન પર પથ્થર પડતાં મોત

લખાભાઇ વેગડાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાબેના દેવળીયા ગામમાં કુવામાં કામ કરી રહેલા વણકર યુવાન પર પથ્થર પડતાં ઇજા થતાં મોત નિપજ્યું છે.

દેવળીયા રહેતાં લખાભાઇ ચનાભાઇ વેગડા (ઉ.વ.૪૦) પરમ દિવસે સાંજે ગામના ઘેલુભાઇ લાખાભાઇની વાડીએ કૂવો ઉંડો ઉતારવાની મજૂરીએ ગયા હોઇ તેઓ અંદર હતાં ત્યારે દિવાલમાંથી એક પથ્થર નીકળી માથે પડતાં ઇજા થતાં કલ્યાણપુર, ખંભાળીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગઇકાલે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી કલ્યાણપુર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:40 am IST)