Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સુરેન્દ્રનગર પાણીની નવી લાઇનમા પાણી-ચાલુ કરાતા જળ બંબાકાર

વઢવાણ તા.૩૦: સુરેન્દ્રનગર શહેરમા પાણીની નવી લાઇનો નાખવામાં આવેલ છે ત્યારે નવી લાઇનો અનેક વોર્ડના વિસ્તારોમાં બેફામપાણીનો બગાડ થતો હોવાનુ ધ્યાને આવેલ છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમા પાણીની એક બાજુ દેકારો બોલ્યો છે ત્યારે બીજી બાજુ પાણીનો બગાડ અને વેડફાટ થઇ રહ્યો છે ત્યારે પાણીના વારાના દિવસે પાણી નવી લાઇન અને જુની લાઇન બન્નેના આવતા શહેરના અનેક વિસ્તારો જળ બંબાકાર બની રહ્યા છે ત્યારે નગર પાલિકાના બેદરકારી સામે આવેલ છે.

સુરેન્દ્રનગર શહેરમા નવી લાઇનમાં પાણીના ફુવારા વચ્ચે પાણીનો બેફામ બગાડ થઇ રહ્યો છે ત્યારે લોકોને એક બાજુ પિવાના પાણીની સમસ્યા સર્જાઇ છે ત્યારે એક બાજુ બેફામ પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો છે.

(11:43 am IST)