Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ભાવનગર કિસાન ક્રાંતી ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને રજૂઆત

ભાવનગર તા. ૩૦: કિસાન ક્રાન્તી ટ્રસ્ટ દ્વારા ખેડૂતોની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ખોડીયાર મંદિર-રાજપરા ખાતેથી રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

કિસાન ક્રાન્તી ટ્રસ્ટની આગેવાની હેઠળ યોજવામાં આવેલ રેલીમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને સુત્રોચર સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં.

આગેવાનો દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી.

રેલી અને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ અંગે ઘનશ્યામભાઇ મોરીએ માહિતી આપી હતી.

પાક વીમો, સિંચાઇ, સેટેલાઇટ દ્વારા જમીન માપણી, ડો. સ્વામીનાથન કમિશનની ભલામણનો અમલ, વિજળી રાની પશુઓનો ત્રાસ, ટેકાના ભાવે ખરીદી સહિતના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજુઆત માટે યોજવામાં આવેલ રેલીમાં ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

(11:42 am IST)