Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

પોરબંદર ખારવા સમાજ દ્વારા ડો. મનસુખભાઇ માંડવીયા તથા અર્જુનભાઇ મોઢવાડીયાનું સન્‍માન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦: ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે ૧૧ - પોરબંદર લોકસભાના ના ઉમેદવાર માન. ડો. મનસુખભાઈ માંડવિયા, અને વિધાનસભા ના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા પંચાયત મંદિર ખાતે શુભેચ્‍છા મુલાકાત માટે આવેલ હતા. તેમની સાથે સાંસદ સભ્‍યશ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર ભાજપ જીલ્‍લ્લા પ્રમુખશ્રી રમેશભાઈ ઓડેદરા, તથા અન્‍ય મહાનુભાવો પણ ઉપસ્‍થિત હતા.

 ખારવા સમાજ્‍ના પ્રમુખ પવનભાઈ શિયાળ, અધ્‍યક્ષ રણછોડભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, નગરસેવા સદન ના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ ભાસ્‍કરભાઈ પાંજરી દ્વારા ૧૧- પોરબંદર લોકસભાના ના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવિયા, અને વિધાનસભા ના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાનુ હાર-તોરા કરી સન્‍માન કરવામા આવ્‍યુ હતુ. અને ઉપસ્‍થિત ખારવા સમાજના આગેવાનો દ્વારા શબ્‍દોથી સ્‍વાગત કરવામા આવ્‍યુ હતુ.

વાણોટ શ્રી પવનભાઈ શિયાળ દ્વારા ખારવા સમાજના ભવ્‍ય ઈતિહાસની એક આંછેરી ઝલકનુ વર્ણન કરવામા આવ્‍યુ હતુ. અને ખારવા સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવા કે જેતપુર કેમીકલ વોટર, બંદરના વિકાસ માટેની સમસ્‍યાઓ, ખારવા સમાજ માટે આવાસ યોજના વિગેરે  વિષે  ડો. મનસુખભાઈ માંડવીયાને માહીતગાર કરેલ હતા. અને ખારવા સમાજનો ૧૧ - પોરબંદર લોકસભાના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર  અર્જુનભાઈ મોઢવાડીયાને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરેલ.

ખારવા સમાજની ન્‍યાયપ્રણાલીકા અને પધ્‍ધતીનુ વર્ણન સાંભળી ડો. મનસુખભાઈ માંડવીયા ભાવવિભોર થયા હતા. પોતે ખારવા સમાજ વિષે  વકતવ્‍ય આપ્‍યુ હતુ અને ખારવા સમાજને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપેલ હતી. તથા ખારવા સમાજના ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના દર્શન કરી આર્શિવાદ મેળવ્‍યા હતા.

ખારવા સમાજના વાણોટશ્રી પવનભાઈ શિયાળ, અધ્‍યક્ષ રણછોડભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, પોરબંદર છાંયા-સંયુકત નગરસેવા સદનના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, પંચપટેલ/ટ્રસ્‍ટીઓ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા આગેવાનો, પોરબંદર માછીમાર પિલાણા એસો.ના પ્રમુખ ભાસ્‍કરભાઈ પાંજરી તથા આગેવાનો, માજી વાણોટશ્રી પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવનભાઈ કોટીયા, સુનિલભાઈ ગોહેલ, પોરબંદર માછીમાર સપ્‍લાર્યસ એસો.ના પ્રમુખશ્રી હર્ષિતભાઈ શિયાળ તથા કમીટી મેમ્‍બરશ્રીઓ, ફ્રેશ ફીશ એસો. ના પ્રમુખ ભીખુભાઈ લોઢારી તથા કમીટી મેમ્‍બરશ્રીઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ  કાન્‍તીભાઈ કાણકીયા તથા આગેવાનો, સુભાષનગર ખારવા સમાજના પ્રમુખ હરીશભાઈ તથા આગેવાનો, પોરબંદર છાંયા-સંયુકત નગરસેવા સદનના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, પોરબંદર છાંયા-સંયુકત નગરસેવા સદનના પૂર્વ ઉપપ્રમુખ  ભારતીબેન જુંગી, એકપોર્ટર કરશનભાઈ ચામડીયા, ફાઈબર ગળપ  પ્રમુખ હિતેષભાઈ ખોરાવા તથા કમીટી મેમ્‍બરશ્રીઓ, સપ્‍લાર્યસશ્રી અજયભાઈ મોતીવરસ, ગુજરાત માછીમાર ફીશરીઝ સેલના કન્‍વીનરશ્રી મહેન્‍દ્રભાઈ જુંગી, પોરબંદર છાંયા-સંયુકત નગરસેવા સદનના કાઉન્‍સીલર લીલાબેન મોતીવરસ, મહીલા આગેવાન સવિતાબેન કુહાડા, જયોતીબેન મસાણી તથા ખારવા સમાજની અન્‍ય સંસ્‍થાઓના આગેવાનો અને પ્રતિષ્ઠીત વ્‍યકિતઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:18 pm IST)