Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

સોમવારે ખંભાળીયામાં પુષ્‍કર્ણા બ્રહ્મસમાજ દ્વારા ગાયત્રી માતાજીનો પાટોત્‍સવઃ નવા બિલ્‍ડીંગનું ઉદ્‌્‌ઘાટન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. ખંભાળીયામાં પુષ્‍કર્ણા બ્રહ્મ સમાજ દ્વારા સોમવાર તા. ૧-૪-ર૪ ના રોજ પુષ્‍કર્ણા બ્રહ્મપુરી ખાતે ગાયત્રી માતાજીનો પાટોત્‍સવ તથા નવા બનેલા બિલ્‍ડીંગનું ઉદઘાટન કાર્ય રાખવામાં આવ્‍યું છે.

બ્રહ્મપુરી નવી બનાવવામાં સ્‍વ. મથુરાદાસ કરસનદાસ જોશી પરિવાર તથા અન્‍ય દાતાઓના સહયોગથી નવો હોલ તથા અન્‍ય સુવિધાઓ થઇ હોય જ્ઞાતિના મુંબઇના અગ્રણી અમરીશભાઇ નાથાલાલ જોશી (મૂર્તિ વાળા) ના મુખ્‍ય અતિથિપદે આ કાર્યક્રમ ૧-૪-ર૪ ના રોજ યોજાયો છે.

પુષ્‍કર્ણા બ્રહ્મપુરી ખાતે ગાયત્રી માતાજીના મંદિરે સવારે ૮ થી ૯ાા કેસર સ્‍નાન પુજા, સવારે ૭-૩૦ થી ૧૧ ચંડીપાઠ, ૧૧-૩૦ વાગ્‍યે મહાઆરતી બપોરે ઉદઘાટન સમારોહ તથા બપોરે ૧.૩૦ વાગ્‍યે મહાપ્રસાદનું આયોજન થયું છે.

ગાયત્રી માતાજીના પાટોત્‍સવ કેશર સ્‍નાન વિ. ધાર્મિક કાર્યક્રમોમાં ખંભાળીયા તથા દ્વારકા જામનગર જિલ્લામાં રહેતા પુષ્‍કર્ણા બ્રહ્મ પરિવારોને પધારવા ટ્રસ્‍ટીઓ નવીનતભાઇ બોડા, સુનીલભાઇ બોડા, કિરીટભાઇ બોડા, સુરેશભાઇ ઢાંકી, ભાસ્‍કરભાઇ જોશી તથા હિતેશભાઇ હર્ષ દ્વારા અનુરોધ થયો છે.

(1:13 pm IST)