Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

દૂધરેજ વડવાળા મંદિરમાં લુંટ-સાધુની હત્યાની ઘટનાના ત્રણ કેસમાં આરોપીને આજીવન કેદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦: સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના સાધુ જીણારામ પર વર્ષ ૨૦૨૦માં હુમલો કરી માથામાં ઈજાઓ પહોંચાડી રોકડ રૃા.૬,૦૦૦ની લૂંટનો બનાવ બન્યો હતો. તેમજ અન્ય બે વ્યકિતને પણ માથામાં મારી સોનાના ચેઈનની લુંટ કરી હતી. જેમાં સારવાર દરમિયાન સાધુનું મોત નિપજયું હતું. જે મામલે આરોપી લાલો ગાંડાભાઈ ગોલતર સામે ફરિયાદ નોંધાઈ હતી. જે જે ત્રણેય કેસ એક સાથે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ ન્યાયાધીશ પી.એસ.ગઢવી દ્વારા આરોપી લાલો ગોલતરને હત્યા અને લૂંટના કેસમાં આજીવન કેદની સજા તેમજ અન્ય બે કેસમાં ૧૦ વર્ષની સજા ફટકારતો ચૂકાદો આપ્યો હતો.

(11:12 am IST)