Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

બિહારના પાતેપુર (વૈશાલી) ખાતે સાધુ સમાજનું અધિવેશન

બિહારના પાતેપુર (વૈશાલી) ખાતે ભારત સાધુ સમાજ ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન ચાલી રહયું છે. જેમાં અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પુ.મુકતાનંદ બાપુ પુ.કેશવાનંદજી બાપુ સહીતના સંતોની ઉપસ્થિતીમાં મઠમંદરો સંતો-મહંતોની સુરક્ષા પર ચર્ચાઓ કરી ભાર મુકવામાં આવ્યો હતો. ગૌસર્વધન ગંગાની નિર્મળતા વગેરે બાબતો ઉપર ચર્ચાઓ કરવામાં આવેલ. આ અધિવેશનમાં શ્રીકાંત શરણદાસજી કમલનારાયણદાસજીએ દીપ પ્રાગટય કર્યુ હતું. મુકતાનંદ બાપુએ જણાવ્યું હતું કે બધા સંપ્રદાયોના ગઠબંધન જ સાધુ સમાજ છે ધર્મશાસ્ત્રો પર વારંવાર શ્રવણ કરવું જોઇએ આ તકે આ અધીવેશનમાં સાધુ સંખ્યા વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો. (તસ્વીરઃ અહેવાલઃ વીનુ જોશી-જુનાગઢ)

 

(3:54 pm IST)