Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ગોંડલમાં વૃધ્ધા વાલીબેને બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કર્યુઃ ગંભીર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

રાજકોટ તા. ૩૦: ગોંડલના કુંભારવાડામાં રહેતાં વાલીબેન સવજીભાઇ ચોૈહાણ (ઉ.૬૫) નામના ધુળધોયા વૃધ્ધાએ રાત્રે દસેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વાલીબેનને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. પગમાં દુઃખાવા સહિતની બિમારી લાગુ પડી હોઇ તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી ગોંડલ જાણ કરી હતી.

(11:52 am IST)