Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પોરબંદર-માધવપુર લાઇન રોડના કામમાં બન્ને સાઇડ ખોદી નાખતા વાહન ચાલકો હેરાન

પોરબંદર, તા. ૩૦ : પોરબંદર-સોમનાથ રોડને ફોર લાઇન બનાવવાની કામગીરીમાં પોરબંદર-માધવપુર વચ્ચે બન્ને સાઇડ ખોદી નાખતા વાહન ચાલકો હેરાન થઇ રહ્યા છે.

આવા રોડને બદલે પોરબંદરથી માધવપુર જવા ર કલાક જેવો સમય લાગી જાય છે. ચૈત્રી માસમાં માધવપુરનો મેળો હોય વહેલી તકે આ રોડ કામ પૂર્ણ કરવા માંગણી ઉઠી છે.  રોડ કામગીરી વખતે એક સાઇડ ખૂલ્લી રાખવાની હોય છે જે રાખી નથી. આ પ્રશ્ને તંત્રને રજૂઆત છતાં ધ્યાન અપાતું નથી.

(11:52 am IST)