Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

રાજુલાના નિવૃત પોલીસ કર્મચારીનું ઉંઘની વધુ પડતી દવા પી જતાં મૃત્યુ

૭૫ વર્ષના રામશંકરભાઇ ઠાકરે રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: રાજુલાના કુંભારવાડામાં રહેતાં નિવૃત પોલીસ કર્મચારી રામશંકર ચત્રભુજભાઇ ઠાકર (ઉ.૭૫)એ ૨૨મીએ પોતે  સાળા બિપીનભાઇના ઘરે હતાં ત્યારે પોતાને ઉંઘ ન આવતી હોઇ તેની દવા લેતાં હોઇ તે વધુ પડતી પી લેતાં તબિયત બગડતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ત્યાંની પોલીસને જાણ કરી હતી.

મૃતકને સંતાનમાં એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:48 am IST)