Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જેતપુરના જેતલસર જંકશન ખાતે વિઝિટ કરતા જી.એમ.અશોકકુમાર મીશ્રા : નવી કામગીરીની તપાસ કરી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૩૦ : ભાવનગર ડીવીઝનમાં આવતા વિસ્તારમાં રેલ્વેતંત્ર દ્વારા યાત્રીકોની સુવિધા માટે આધુનિક અને ઝડપી કામગીરી તેમજ ઇલેકટ્રીક લાઇનની કામગીરી કાનાલુસથી જેતલસર જંકશન સુધી હાથ ધરાય હોય જેના ચેકીંગ માટે ભાવનગર રેલ્વે ડીવીઝનના જનરલ મેનેજર અશોકકુમાર મીશ્રા તથા ડી.આર.એચ મનોજ ગોહેલ સીનીયર ડીસીએમ-માથુઉ અહેમદની ટીમે કાનાલુસ સ્ટેશનથી દરેક કામગીરીની સમીક્ષા કરેલ. આ ટીમ શનિવારે જેતલસર જંકશન ખાતે આવેલ ત્યાં પણ નવા બનેલ પ્લેટફોર્મ સહિતની સુવિધાઓ તેમજ લોકોના પ્રશ્નોને સાંભળેલ અને તે બાબતે તાત્કાલીક ઉકેલ લાવવા ખાત્રી આપેલ. આ પ્રસંગે રેલ્વે અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સ્ટાફ હાજર રહ્યા હતા.

(3:13 pm IST)