Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ટંકારાના આર્ય વિદ્યાલયમના વિદ્યાર્થીઓ સન્‍માનીત

 ટંકારા : આર્ય વિદ્યાલયમ્‌ના મંત્રી   મેહુલભાઈ કોરીંગાના સ્‍મણાર્થે ટંકારા તાલુકાની  ૫૦ સરકારી શાળામાં ધોરણ ૩ થી ૮ મા ભણતા પહેલો ,બીજો અને ત્રીજા નંબરના  વિદ્યાર્થીઓને શિલ્‍ડ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા.  આ શિલ્‍ડ પાછળનો અંદાજે  દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આર્ય વિધાલયમ્‌ના પ્રમુખ  માવજીભાઈ દલસાણીયા દ્વારા કરવામાં આવેલ. આ પાછળનો ઉદ્દેશ્‍ય મેહુલભાઈ શિક્ષણનો જીવ હતા, તેના પાછળ સરકારી શાળામાં ભણતા બાળકોને પ્રોત્‍સાહન પૂરૂ પાડી  તેમને સાચા અર્થમાં યોગ્‍ય શ્રધાંજલિ આપવાનો છે. પ્રોત્‍સાહન દ્વારા આપણા દરેક બાળકો શિક્ષણમાં વધુ ધ્‍યાન આપે અને સુખી થાય તેવો પવિત્રભાવ રહેલો છે. આ શિલ્‍ડ આપવા માટે આપણો રાષ્‍ટ્રીયપર્વ  પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્‍માનમા આવેલ.  આ કાર્યમાં સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ ખૂબ ઉત્‍સાહથી સહકાર આપવા બદલ  શ્રી માવજીભાઈ દલાસણીયાએ હ્રદય પૂર્વક આભાર માન્‍યો છે. (તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા ટંકારા)

(10:46 am IST)