Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

...૧૫ વર્ષ બાદ ભાલારા પરિવારમાં જન્મેલી દીકરી નોંધારીઃ ગાંધીધામના પટેલ પરિવારની અંતિમ વિધિ કલ્યાણપુરમાં

ભુજ તા.૩૦: એક સાથે ચાર ચાર સભ્યોના મોતના બનાવે ગાંધીધામ સહીત કચ્છના તમામ લોકોમાં અરેરાટી સાથે શોકનો માહોલ સજર્યો છે. સામખીયાળી ભચાઉ હાઇવે ઉપર બનેલા આ માર્ગ અકસ્માતમાં ગાંધીધામના પટેલ પરિવારના ચારેચાર સભ્યો પુરૂષોતમ ભાલારા તેમના પત્ની રંજનબેન પુત્ર હંસીલ તેમજ, પુત્રવધુ બીનાબેનના મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં બચી ગયેલ ૮ માસની દીકરીના કમનસીબ તો જુઓ કે ૧૫ વર્ષ પછી ભાલારા પરિવારમાં જન્મેલી આ દીકરી સાવ નોંધારી બની ગઇ દાદા,દાદી અને માતા-પિતાની છત્રછાયા તેણે ગુમાવી દીધી ભાલારા પરિવારની આ દીકરીનો એક માત્ર આધાર તેના ફઇબા છે ગઇકાલે ચારેય મૃતકોની અંતિમવિધિ કલ્યાણપુર (જામનગર) ખાતે કરાઇ હતી.

(11:27 am IST)