Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વધુ ૩૪ કેસ વચ્ચે કચ્છમાં કોરોના રસીકરણની તૈયારી, રાજકોટથી ૭૦ હજાર સિરીંજનો જથ્થો પહોંચ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.ર૯:  ઠંડી વચ્ચે કચ્છમાં કોરોનાના  નવા ૩૪ કેસ સાથે કુલ દર્દીઓ વધીને ૩૯૫૮ થયા છે. બીજી બાજુ કચ્છ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રસીકરણની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે રસીકરણ માટેની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. તો, ગઇકાલે રાજકોટથી રસીકરણ માટે ૭૦ હજાર સિરિંજનો જથ્થો રવાના થઈ ગયો છે. જે આજે ભુજ પહોંચી આવશે. જાન્યુઆરી મહિનાથી કચ્છ જિલ્લામાં કોરોનાના રસીકરણ માટેની કામગીરી હાથ ધરાશે. અત્યારે કચ્છમાં એકિટવ દર્દીઓ ૨૩૯ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૫૯૮ છે. જયારે મૃત્યુ પામનારા ૮૧ છે.

(11:53 am IST)