Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કચ્છ-રાઘનપુર હાઇવે પર કાર અકસ્માતઃ મોરબી મેડીકલ એસો.ના પ્રમુખના પરિવારના ત્રણ સભ્યોની એકસાથે અર્થી ઉઠતા કરુણ દ્રશ્યો સર્જાયા

મોરબીના મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યો કારમાં રાજસ્થાન જવા નીકળ્યા હોય દરમિયાન કચ્છ રાધનપુર હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર દ્યુસી જતા એક જ પરિવારના બે સગા ભાઈઓ સહીત ત્રણ વ્યકિતના મોત થયા હતા તો મોડી સાંજે એક જ પરિવારના ત્રણ સભ્યોની એકીસાથે અર્થી ઉઠતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મેડીકલ એસોના પ્રેસિડેન્ટ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લતપતભાઈ મહેશ્વરી, જયંતીભાઈ મહેશ્વરી અને રેખાબેન જયંતીભાઈ મહેશ્વરી પોતાની કાર લઈને મોરબીથી રાજસ્થાન જવા નીકળ્યા હતા તાજેતરમાં દીકરીના લગ્ન થયા હોય જેને તેડવા રાજસ્થાન જતા હોય ત્યારે કચ્છ રાધનપુર હાઈવે પર મહેશ્વરી પરિવારની કાર બંધ ટ્રક પાછળ દ્યુસી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર મહેશ્વરી પરિવારના બે સગાભાઈ સહીત ત્રણ વ્યકિતના મોત થયા હતા જેના પગલે મોરબી મહેશ્વરી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો મોડી સાંજે મહેશ્વરી પરિવારના દ્યરમાંથી ત્રણ અર્થી ઉઠી હતી.

(11:49 am IST)