Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

આમીરખાને પોરબંદરથી ફલાઇટમાં મુંબઇ રવાના થતા પહેલા કીર્તીમંદિરે પૂ.ગાંધીજીને પુષ્પાંજલી અર્પીં

સાસણમાં ૩ દિવસ રજા મનાવીને બોલીવુડ સ્ટાર તેના પત્ની અને પરિવાર સાથે ૩ મોટરોના કાફલા સાથે સવારે પરત પોરબંદર આવેલ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૯: સાસણમાં ૩ દિવસની રજા મનાવીને બોલીવુડ સ્ટાર આમીરખાન તેના પત્ની અને પરિવાર સાથે આજે સવારે મોટરથી પોરબંદર આવેલ અને એરપોર્ટ ઉપર ચાટર્ડ પ્લેનમાં મુંબઇ જતા પહેલા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તીમંદિરે જઇને પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પી હતી.

બોલીવુડ સ્ટાર આમીરખાન તેના પરીવાર સાથે ૩ દિવસ સાસણમાં રજા ગાળવા આવેલ અને પોતાની મેરેજ એનેવસરીની ઉજવણી કરી હતી. ત્યાર બાદ તેઓ પરીવાર સાથે ૩ મોટરોમાં પોરબંદર આવેલ હતા તેઓ એરપોર્ટ ઉપર ચાટર્ડ પ્લેન દ્વારા મુંબઇ જવા રવાના થતા પહેલા કીર્તીમંદિરે ગયેલ હતા ત્યાં ગાંધીજીને પુષ્પાંજલી અર્પી હતી. આમીરખાન અને તેના પરીવારજનો ગાંધી જન્મ સ્થળ કીર્તીમંદિરની મુલાકાત લઇ ધન્ય બન્યા હતા. આમીરખાને તેના પરિવાર સાથે કીર્તીમંદિરમાં અર્ધો કલાક રોકાયા હતા.

(11:47 am IST)