Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

પોરબંદર નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા માસ્ક વિતરણ

 પોરબંદર : નાગરીકોમાં કોરોના મહામારી વિશે જાગૃતિ લાવવા હેતુ નહેરૂ યુવા કેન્દ્ર, પોરબંદર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનોનું આયોજન થઇ રહ્યું છે. તે અંતર્ગત સ્વયંસેવકો દ્વારા પોરબંદર જિલ્લાના વિવિધ ગામડાઓમાં સેનિટાઇઝર તથ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. યુવક મંડળના સભ્યોને તથા જરૂરીયાતમંદ લોકોને સાબુ, માસ્ક અને સેનિટાઇઝર આપીને તથા તે અંગની જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અને સાથે સોશ્યલ ડીસ્ટન્સિંગ અને હેન્ડવોશિંગનું મહત્વ સમજાવ્યું હતું. અને વૃધ્ધ લોકોનું વધારે ધ્યાન રાખવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનું સફળતાપૂર્વક પાર પાડવા જિલ્લા યુવા સંયોજક, એકાઉન્ટન્ટ તથા સર્વે સ્વંયસેવકોએ જહેમત ઉઠાવી હતી. માસ્ક વિતરણની તસ્વીર.

(11:45 am IST)