Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વડિયામાં ગટર લાઇન કામનું ખાતમુહુર્ત

વડીયા : વર્ષોજૂની ગટરલાઈન ના ગંદા પાણી ના ઉભરાઈ ને રસ્તા પર આવતા હતા તે ગંદકી ની સમસ્યા થી લોકો ત્રાહિમામ હતા. અમરેલી જિલ્લા એટીવીટી ના સભ્યો શૈલેષ ભાઈ ઠુંમ્મર, ગોપાલભાઈ અંટાળા અને વિપુલભાઈ રાંક દ્વવારા ગ્રામપંચાયત ના છગનભાઇ ઢોલરીયા ની માંગણી મુજબ ગ્રામ્ય સુવિધાના વિકાસ માટેની ગ્રાન્ટ ફાળવતા સુરગપરા ના એસબીઆઇ બેન્ક ના રોડ પર આવેલી વિનાયક સ્કૂલ થી પેટ્રોલપંપ પાછળ થી સ્વામિનારાયણ મંદિર ના દરવાજા સુધી સુરગપરા માં ઉંડી આરસીસી ગટરલાઈન નું ખાતમુરત ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા દ્વારા વડીયા સ્વામિનારાયણ મંદિર ના સંતો ના હસ્તે શ્રીફળ વધેરી ને કામ શરુ કરવામાં આવ્યુ હતુ. આ ખાતમુરત માં વડિયા સ્વામિનારાયણ મંદિર ના સંતો, ગ્રામપંચાયત ના છગનભાઇ ઢોલરીયા, એટીવીટી ના વિપુલભાઈ રાંક, સ્થાનિક આગેવાનો અશ્વિનભાઈ મેહતા, માકાણીભાઈ અને આસપાસ ના વિસ્તારના લોકો જોડાયા હતા. વડિયા ગામમા થતા વિકાસના કામો થી ગામ લોકોની સુવિધાઓ વધતા અને વર્ષોજૂનાં પ્રશ્નો પૂર્ણ થતા લોકો માં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. નવી ગટર લાઇન કામનું ખાતમુહુર્ત કરાયું તે તસ્વીર.

(11:37 am IST)