Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જામજોધપુર યાર્ડમાં કલ્યાણ કાર્યક્રમ

જામજોધપુર : માર્કેટીંગ યાર્ડ મુકામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અટલ બિહારી વાજપેઇના જન્મદિવસે સુશાન દિવસની ઉજવણી સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ દ્વારા પુર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. જેમાં પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર, મા.યાર્ડ સદસ્ય જયસુખભાઇ વડાલીયા, ચીમનભાઇ અશાણી, ધાનાભાઇ બેરા, કિશોરસિંહ જાડેજા, ન.પા. ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, જિલ્લા ભાજપ મંત્રી કૌશિક રાબડીયા, ભાજપ યુવા અગ્રણી હરેશભાઇ બારીયા, રવિ સિહોરા, શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહેલ. (અહેવાલ : અશોક ઠકરાર)

(11:35 am IST)