Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબીના વાવડી નજીક આર્થિક સંકડામણથી કંટાળી યુવાનનો દુકાનમાં આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૯: વાવડી ગામ નજીક ફરસાણની દુકાન ચલાવતા યુવાને આર્થિક સંકડામણથી કંટાળી આજે પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે બનાવને પગલે તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મોરબીના વાવડી રોડ પર સમજુબા સ્કૂલ પાસેના ગાયત્રીનગરમાં રહેતા કિર્તીભાઈ શેઠ (ઉ.વ.૪૦) નામના યુવાન પોતાના દ્યર પાસે ફરસાણની દુકાન ચલાવતા હોય જેને આજે સવારે દુકાનમાં જ ગળેફાંસો ખાઈ આપદ્યાત કરી લીધો હતો જે બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ફરસાણનો ધંધો બરાબર ચાલતો ના હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી યુવાને આપદ્યાત કર્યાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે મોરબી તાલુકા પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

(9:56 am IST)