Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

જેતપુરમાં વૃદ્ધાની પુત્રવધુ-પોૈત્રીએ હત્યા કર્યાનું ખુલ્યુ

અકસ્માતે મોતનાં બનાવમાં હત્યાનો ગુન્હો નોંધાયોઃ દસ્તાનો ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૯: શહેરનાં અમરનગર રોડ પર આવેલ અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ મહિલાનું પગથીયા ઉતરતા મોત નિપજયાનો બનાવ શહેર પોલીસે નોંધેલ જેમાં મૃતકની પુત્રીને શંકા જતા ફોરેન્સીક પી.એમ. બાદ હત્યાનો ગુન્હો નોંધાયો.વૃદ્ધાને માથામાં તિક્ષ્ણ હથિયાર મારી મોત નિપજાવ્યાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અત્રેના અમરનગર રોડ પર આવેલ અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા કનુભાઇ અશોકભાઇ જલુના માતુશ્ર રતનબને (ઉ.વ.૬૨) ગઇકાલે પોતાના ઘરે સીડી પરથી પડી જતા મૃત્યુ નિપજયાની જાણ થતાં તે અંગેની નોંધ શહેર પોલીસમાં કરતા તેનું પી.એમ. કરવાની તજવીજ હાથ ધરાઇ પરંતુ રતનબેનના દિકરી કે જેઓ વંથલી તાલુકાના કુંભાડી ગામે રહે છે. તેમને મોત અંગે શંકા જતા તેનું ફોરેન્સીક પી.એમ. કરવાની માંગણી કરેલ જેથી તેનું પી.એમ. કરતા તેમાં વૃદ્ધાનું માથામાં કોઇ હથિયાર લાગવાથી મોત નિપજયાનું બહાર આવતા વૃદ્ધાના દિકરી વર્ષાબેન મુકેશભાઇ જાદવે પોતાની માતાની હત્યા થઇ હોવાની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાવતા પોલીસે તેની ફરિયાદ પરથી વૃદ્ધાની પુત્રવધુ રેખાબેન કનુભાઇ જલુ તેમજ પૌત્રી હેતલબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ પી.આઇ. વી.આર. વાણીયાએ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં રતનબેન ગામડે રહેતા હોય અહિં તેના દિકરા કનુભાઇના ઘરે આટો મારવા કયારેક આવતા તે મુજબ આવેલ હતા. કોઇ કારણોસર તેની પુત્રવધુ અને પૌત્રીએ ઝગડો કરી માથામાં કોઇ હથિયાર મારી દીધેલ હોય તેવું જાણવા મળેલ છે.(૧.૧૮)

(12:29 pm IST)