Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમરેલીના મહાસંમેલન અર્થે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની કાલે રાજકોટમાં મીટીંગ

રાજકોટ તા. ૨૯ : ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા અખિલ ભારતીય મહાસંમેલન આગામી તા. ૨૩ ડીસેમ્બરના  રવિવારે અમરેલી મુકાયે યોજાયુ છે.

અમરેલી જ્ઞાતિ પ્રમુખ, ઉદ્યોગપતિ અને સતાધારની જગ્યાના સેવક શ્રીમતી ઉર્વીબેન તથા ભરતભાઇ ટાંકના આર્થીક સહયોગથી યોજાય રહેલ આ મહા સંમેલનને લઇને તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે.

પૂ. જીવરાજબાપુના શુભઆશિષ સાથે પૂ. વિજયબાપુની ઉપસ્થિતીમાં તા. ૨૩ ડીસેમ્બરના રવિવારે સવારે ૯ થી સાંજ સુધી કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ મેદાન, સિવિલ હોસ્પિટલ પાસે, અમરેલી ખાતે યોજાનાર આ મહાસંમેલન દરમિયાન સવારે ૯ થી ૧૧ ચિંતન શિબિર, ૧૧ થી ૧૨ મહીલા ચિંતન શિબિર, બપોરે ૩ વાગ્યાથી મહાસંમેલન પ્રારંભ અને રાત્રે ૮ વાગ્યે 'રંગ દે બસંતી' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સંમેલન દરમિયાન બપોરે તથા સાંજે પ્રસાદીની વ્યવસ્થા કરાઇ છે.

દરમિયાન આ ભગીરથ મહાસંમેલનને સફળ બનાવવા રાજકોટ ખાતે પણ પુરજોશમાં તૈયારીઓ આદરવામાં આવી છે.

મહાસંમેલનને લઇને રાજકોટમાં શ્યામ મંદિર, કોઠારીયા રીંગ રોડ ચોકડી ખાતે કાલે તા. ૩૦ ના શુક્રવારે સવારે ૯ વાગ્યાથી અગત્યની મીટીંગ યોજવામાં આવેલ છે. મીટીંગમાં ઉપસ્થિત રહેવા અને વધુ માહીતી માટે મો.૯૪૨૬૮ ૪૯૦૩૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૧)

(11:46 am IST)