Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

જસદણના શિવરાજપુરમાં જુના મનદુઃખમાં દલીત યુવાન પર છ શખ્સોનો હુમલો

રાજકોટ, તા., ર૯: જસદણના શિવરાજપુર ગામે જુના મનદુઃખમાં દલીત યુવાન પર છ શખ્સોએ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના શિવરાજપુર ગામે રહેતા દલીત જીજ્ઞેશભાઇ રાઠોડ પર તે જ ગામના શૈલેષ બાબુ મેણીયા, ભાવેશ બાબુ મેણીયા, સુરેશ બાબુ મેણીયા, રવજી બાબુ મેણીયા, હિંમત લાખા તથા તન્ના રવજીએ ગેરકાયદેસર મંડળી રચી લાકડીથી હુમલો કરી માર મારી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યો હતો.

ઇજાગ્રસ્ત દલીત યુવાન અને આરોપી વચ્ચે જુનું મનદુઃખ ચાલતું હોય તેના કારણે હુમલો કરાયો હતો. આ બનાવ અંગે દલીત યુવાનના પત્ની એકતાબેન રાઠોડએ ઉકત છ શખ્સો સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)